આદ્રા નક્ષત્ર 2025 : મોટે ભાગે દર વર્ષે રાજયમાં ચોમાસાની શરુઆત આદ્રા નક્ષત્રથી થતી હોય છે. સુર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ દર વર્ષે મોટે ભાગે 21 જૂન કે પછી 22 જૂનના રોજ થતો હોય છે. આ વર્ષે સૂર્યનારાયણનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ તારીખ 22/06/2025 ના રોજ થશે. વાર રવિવાર હશે. સમય સવારે 6 વાગે ને 27 મિનિટે શરૂઆત થશે. આ નક્ષત્ર નું વાહન ઉંદરનું છે. આદ્રા નક્ષત્ર 06/07/2025 સુધી રહેશે.
આ પણ વાચો : આદ્રા નક્ષત્ર સાથે ફરીથી મુશળધાર, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ; નદીઓમાં પૂર આવશે
લોકવાયકા
“મગશરા વાયા તો આદ્રા મે આયા
વર્ષે આદ્રા તો બારેમાસ પાધરા”
- મૃગશીર્ષ નક્ષત્રમાં ખૂબ પવન ફૂંકાય તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ આવે જ છૂટકો
- જો આદ્રા નક્ષત્રમાં વરસાદની શરૂઆત થાય તો, પાછળના નક્ષત્રમાં પણ સારો વરસાદ પડે છે. આદ્રા નક્ષત્રની વાવણીને શુભકારી માનવામાં આવે છે.
આદ્રા નક્ષત્રમાં વરસાદ યોગ
આદ્રા નક્ષત્ર બેસે તે પહેલા 3 થી 4 દિવસ દરમિયાન જો અગ્નિ ખૂણામાંથી સતત પવન ફૂંકાય તો, આ નક્ષત્ર મોટે ભાગે કોરું જાય તેવુ માનવામાં આવે છે. અને આદ્રા નક્ષત્રના ચોથા ચરણમાં એટલે કે આદ્રા નક્ષત્ર ઉતરતા વરસાદ થવાની સારી સંભાવના ઊભી થતી હોય છે. મોટે ભાગે દર વર્ષે ગુજરાતમાં આદ્રા નક્ષત્રમાં વરસાદનું પ્રમાણ સારું જોવા મળતું હોય છે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |