ગુજરાતમાં વરસાદ સાથે આંધી, વંટોળની શક્યતા, અંબાલાલ પટેલે તારીખો સાથે કરી નવી આગાહી

WhatsApp Group Join Now

Ambalal Patel : રાજ્યમાં માર્ચ મહિનામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હવે ભારે ગરમીની મોસમ પણ જામી ગઈ છે. છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં તાપમાનનો પારો ઊંચો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ગઈ કાલે અમદાવાદ ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, માર્ચના અંતમાં આંધી વંટોળનું પ્રમાણ વધુ રહશે અને દરિયા કિનારાના ભાગોમાં આંચકાનો પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે તેમણે એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે પણ આગાહી કરી છે.

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી – Ambalal Patel

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજની આગાહીમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 24 કલાકમાં તાપમાનમાં આંશિક ઘટાડો થઈ શકે અને ગરમીમાંથી રાહત મળી શકે છે. સાથે જ માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે.

આ પણ વાચો : પરેશ ગોસ્વામીની વરસાદની આગાહી, ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદ પડશે?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, બંગાળની ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં માર્ચના અંત સુધી, માર્ચના અંતથી અને એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવી શકે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની સંભાવના રહેશે. કચ્છ, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ પણ રહેલી છે.

આંધી-વંટોળની આગાહી – Ambalal Patel

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, માર્ચ મહિનાના અંતથી આંધી વંટોળનું પ્રમાણ વધી શકે અને દરિયા કિનારાના ભાગોમાં આંચકાનો પવન ફૂંકાશે. તેજ પવનની ગતિના કારણે ઉભા કૃષિ પાકો, બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે.

આ પણ વાચો : હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની આગાહી, જાણો ચોમાસુ 2025 કેવું રહેશે?

વાવાઝોડા અંગે જણાવતા કહ્યું કે, 14 એપ્રિલ બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયાઓ શરૂ થઈ જશે અને 26 એપ્રિલ બાદ તો ખતરનાક વાવાઝોડામાં બંગાળના ઉપસાગરમાં બનશે. ટોપિકલ સ્ટ્રોમ ગતિવિધિ વધુ રહેશે. 10 મેથી 15 જૂન વચ્ચે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શક્યતાઓ રહેશે અને 10મી મેથી ગુજરાતમાં પણ પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી સાથે થવાની શક્યતાઓ રહેશે અને રોહિણી નક્ષત્ર તપશે. 5 જૂન સુધીમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. આ વખતે વાવાઝોડાના કારણે સાયક્લોનિક વરસાદ વહેલો આવી શકે.

વાવાઝોડાની શક્યતા!

બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થાય તો તેની અસર ગુજરાતમાં ભારે આંધી, વંટોળ અને પવન ફૂંકાવાની શક્યતાઓ રહેશે. જોકે આમ પણ એપ્રિલમાંથી આંધી, વંટોળ અને પવનની ગતિ, વાદળ વાયુની શક્યતાઓ રહેતા તેની અસર થવાની શક્યતાઓ રહેશે.

Ambalal Patel

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

24 કલાકમાં તાપમાનમાં આંશિક ઘટાડો થઈ શકે અને ગરમીમાંથી રાહત મળી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment