5 થી 9 જૂન માટે અંબાલાલ પટેલની અનરાધાર વરસાદની આગાહી?

WhatsApp Group Join Now

Ambalal Patel rain forecast : ગુજરાત ભરમાં પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 4 જૂનથી ઑગસ્ટ સુધી ભારત અને તેના પડોશી દેશોના હવામાન અંગે વિશિષ્ટ આગાહી વ્યકત કરી છે. તેમણે ચેતવણી આપી છે કે દક્ષિણ ચીન તરફ સર્જાતી લો પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં બદલાઈ શકે છે. આ કારણે અરબી સમુદ્રમાંથી આવતા પવનો દક્ષિણ ચીન તરફ ફેરવાઈ રહ્યા છે, જે ચોમાસાની શરૂઆતમાં વિક્ષેપ ઉત્પન્ન કરી શકે છે.

અંબાલાલ પટેલની વિશિષ્ટ આગાહી

ઉત્તર પશ્ચિમ ભારત તરફથી ફૂંકાતા ગરમ પવનના કારણે પણ ચોમાસું પહેલાંના કરતાં મોડું બેસી શકે છે. તેઓ કહે છે કે આ સ્થિતિને કારણે 4 જૂનથી ઑગસ્ટ સુધીના સમયમાં દેશના વિવિધ વિસ્તારોમાં હવામાનમાં ઘણા ફેરફારો જોવા મળશે. ખાસ કરીને પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા પડોશી દેશો તરફથી આવી રહેલા હવામાન પરિવર્તનો ભારતના હવામાનને પણ અસર પહોંચાડી શકે છે.

આ પણ વાચો : ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

8 થી 12 જૂનમાં વરસાદની શક્યતા!

અંબાલાલ પટેલે જણાવ્યું કે, 8 થી 12 જૂન દરમિયાન મુંબઈ તથા મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. પશ્ચિમ ઘાટમાં 200 mm જેટલો વરસાદ પડવાની સંભાવના છે, જેને કારણે ઘાટવાળા વિસ્તારોમાં ભૂસ્ખલન અને વાહન વ્યવહાર પ્રભાવિત થઈ શકે છે.

5 થી 9 જૂનમાં વરસાદની શક્યતા!

અંબાલાલ પટેલના મતે 5 થી 9 જૂન દરમિયાન રાજ્યના ઉત્તર, પૂર્વ અને મધ્ય ભાગોમાં અણધાર્યો વરસાદ પડી શકે છે, જેને કારણે ખેતી અને જનજીવન પર અસર પડી શકે છે.

આ પણ વાચો : વરસાદ નક્ષત્ર 2025 : કયું નક્ષત્ર કયારે બેસે? કયું વાહન? કેટલા વરસાદની સંભાવના?

18 થી 25 જૂન દરમિયાન બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સર્જાય તેવી શક્યતા રહેલી છે. 21 થી 23 જૂન દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. 24 થી 30 જૂન દરમિયાન સારી વરસાદી પ્રવૃત્તિ જોવા મળશે.

12 થી 18 જૂનમાં ગુજરાતમાં વરસાદની શક્યતા!

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, તારીખ 12થી 18 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે. 13થી 18 જૂન વચ્ચે પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે, જે પાણી ભરાવો અને નદી-નાળાઓમાં વધારાનું પાણી લાવી શકે છે.

મૃગશીર્ષ નક્ષત્ર દરમિયાન વરસાદ થવાથી પાકમાં જીવાત અને ફૂગ ઈંડા મૂકવાની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે, જેને કારણે પાકને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને ખપેલી પાકને આ સમયે વધારે જોખમ જોવા મળી શકે છે. 21 જૂન પછી આદ્રા નક્ષત્રમાં વરસાદ થવાથી ખેતી માટે સારી પરિસ્થિતિ ઉત્પન્ન થશે. આ સમયે વાવણી કરવાથી પાકનો ઉગાવો વધુ સારો થશે.

Ambalal Patel rain forecast

અગત્યની લિંક – Ambalal Patel rain forecast

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment