Rain forecast in Gujarat : ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરીથી હવામાનમાં પલટો જોવા મળ્યો છે. ગઈકાલે સાબરકાંઠા પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જે બાદ અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. એકબાજુ લોકોને ગરમીમાંથી રાહત મળી હતી ત્યારે બીજી બાજુ જગતના તાતને પોતાના પાકમાં નુકસાન જવાની ભીતિ વર્તાઈ રહી છે. આ અચાનક વાતાવરણમાં પલટા બાદ આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.

અંબાલાલ પટેલની આગાહી
હવામાન વિભાગે હાલ 7 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની આગાહી કરી છે. જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, 18 એપ્રિલ બાદ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને ગરમીનું પ્રમાણ ઘટશે. જોકે, આ વખતે ગુજરાતના હવામાને કોઈનું ન માન્યું અને અંબાલાલ પટેલની આગાહી પહેલા જ ગુજરાતના સાબરકાંઠામાં વરસાદ પડ્યો છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 18 થી 24 એપ્રિલના હવામાનમાં પલટો આવવાની શક્યતા અને 22થી 24 એપ્રિલના ફરી વાદળો આવી શકે છે. અમુક વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા રહેલી અને 18 એપ્રિલ બાદ ફરી મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. ગરમીમાંથી આંશિક રાહત મળશે. એપ્રિલ મહિનામાં પવનની તેજ ગતિ જોવા મળશે. આંધી, વંટોળના કારણે બાગાયતી પાકને પણ નુકસાન થવાની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : ટિટોડી ક્યારે અને કેટલા ઈંડા મૂકે તો ચોમાસુ ટનાટન? અંબાલાલ પટેલે જણાવી ચોમાસાના વરતારાની રીત
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં હાલ પૂર્વથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે. જેના કારણે ગુજરાતમાં બેથી ત્રણ દિવસ તાપમાન વધવાની આગાહી સાથે કેટલાક વિસ્તારોમાં હીટવેવની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
આ પણ વાચો : ગુજરાતમાં આવશે મિની વાવાઝોડું! અંબાલાલ પટેલનીની મોટી આગાહી
હીટવેવની આગાહી કરાઈ!
એ. કે. દાસ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું છે કે, 17 એપ્રિલ સુધી હીટવેવની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની શક્યતા છે. એટલે આ વિસ્તારોમાં ફરીથી ગરમીનો પ્રકોપ વધશે. 17 તારીખ સુધી યલો વોર્નિંગ સાથે હીટવેવ વોર્નિંગ પણ આપવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, હાલ 7 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. આગામી 7 દિવસ તાપમાન શુષ્ક રહેશે. ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે. આ ઉપરાંતના કોઈપણ વિસ્તારોમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, 18 એપ્રિલ બાદ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને ગરમીનું પ્રમાણ ઘટશે.