monsoon 2025 : ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે. કેરળમાં ચોમાસુ બેસી ગયા બાદ ઝડપથી આગળ વધ્યું હતું અને મુંબઈ સુધી ચોમાસુ આવીને અટકી ગયું છે. ચોમાસુ આગળ વધવા માટે પરિબળો સાનુકૂળ જનતા નથી. જોકે હવે ધીમે ધીમે ચોમાસુ આગળ વધવાનું નિષ્ણાતોનું અનુમાન લગાવી રહ્યા છે. પરંતુ તે પહેલાં ગુજરાતમાં પ્રી-મોન્સૂન વરસાદ પડી રહ્યો છે.

અંબાલાલ પટેલની નવી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હવે ચોમાસુ ધીરે ધીરે આગળ ચાલશે. પૂર્વે રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદ થશે. 6 તારીખથી ગુજરાતના કેટલાક ભાગમાં ગરમી વધશે અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની સંભવના રહેશે. ભેજ અને ઉકળાટના કારણે ગરમી લાગશે. સવારમાં ભાગમાં ગરમી અનુભવશે નહીં. 7 થી 9 જૂનના અણધાર્યો વરસાદ ગુજરાતમાં પડી શકે છે. 13 અને 14 જૂનના બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થતાં તેનો ભેજ પૂર્વ મધ્યપ્રદેશ અને પૂર્વ ગુજરાત સુધી પહોંચતા અને અરબ સાગર પણ સક્રિય થતાં ચોમાસુ સક્રિય થઈ શકે છે.
આ પણ વાચો : 5 થી 9 જૂન માટે અંબાલાલ પટેલની અનરાધાર વરસાદની આગાહી?
કઈ કઈ તારીખમાં વરસાદની આગાહી!?
12 અને 13 જૂનના દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે. 13 જૂન બાદ પૂર્વ મધ્યપ્રદેશ, પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના રહેશે. 17 જૂન સુધીમાં કેટલાક ભાગોમાં જળ ભરાવની સ્થિતિ પણ બની શકે છે. 17 થી 20 તારીખમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે અને આ સિસ્ટમ દરિયાના ભાગોમાં અને જમીનના ભાગમાં આવનજાવન કરશે જેના કારણે દેશના પશ્ચિમ ભાગમાં ભારે વરસાદ પડી શકે છે. 17 થી 20 તારીખમ મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. monsoon 2025 અરબી સમુદ્રમાં કરંટ પણ જોવા મળી શકે છે. 18 થી 25 જૂનના બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થતાં દેશના ભાગોમાં વરસાદ પડશે. ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ પડી શકે છે.
આ પણ વાચો : 6, 7 અને 8 તારીખમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ભીમ અગિયારસના દિવસે વાવણી!! – monsoon 2025
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, ભીમ અગિયારસે રાજ્યના ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહેશે અને 9 જૂન સુધીમાં અણધાર્યો વરસાદ પડી શકે. આ વરસાદ ચોમાસાનો કહી શકાય નહીં કારણ કે દક્ષિણ પશ્ચિમ પવનના કારણે વરસાદ પડશે. જ્યાં સુધી પૂર્વ પવન ફૂંકાય નહીં ત્યાં સુધી સારો વરસાદ આવે નહીં. ભીમ અગિયારસના દિવસે વાવણી કરવામાં આવે અને તે પછી ચોમાસુ વરસાદ થઈ શકે છે. આ વરસાદના કારણે જુદા જુદા ભાગોમાં પાકના ઉગાવા પર વરસાદી પાણી ભરાવો ન થાય તે જોવું રહ્યું અને શરૂઆતના વાવેતર ઉપર રોગ જીવાત પડવાની શક્યતા રહેતી હોય છે. આદ્રા નક્ષત્રમાં વાવેતર કરવાથી ઉગાવો શરૂ થાય. આદ્રા નક્ષત્ર 22 જૂનના સવારે બેસે છે. નક્ષત્ર રાતના સમયે બેસતાં હોય તો સારું ગણાય.

અગત્યની લિંક – monsoon 2025
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |