ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલની ભયાનક આગાહી

WhatsApp Group Join Now

Ambalal cyclone forecast : રાજ્યમાં ફરી એકવાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ ઘેરાઈ રહ્યું છે. ત્યારે અંબાલાલ પટેલ નવી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 22 થી 25 તારીખ દરમિયાન વાવાઝોડું બનવાની શક્યતા છે. જેના પગલે સમુદ્રમાં 100 કિમીની પવનની ગતિ જોવા મળી શકે છે.

કેટલી તારીખ સુધી અસર જોવા મળશે? – Ambalal cyclone forecast

અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે, 26 મે પછી વાવાઝોડું ગુજરાત તરફ આવવાની શક્યતા રહેલી છે અને જેની ગતિ તીવ્ર રહેવાની સંભાવના છે. વાવાઝોડું અનેક જગ્યાએ ભારે તબાહી લાવશે તેમજ 31 મે સુધી ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે.

આ પણ વાચો : 23, 24 અને 25 તારીખમાં ભારે ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી

પરેશ ગોસ્વામીની વાવાઝોડાની આગાહી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, અરબ સાગરમાં એક મજબૂત લો-પ્રેશર સિસ્ટમ બની છે, જે આગળ જતાં વાવાઝોડું બની શકે છે. આ લો-પ્રેશર ઉત્તર-પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી સંભવના છે, અને જો તે સાયક્લોનમાં પરિવર્તિત થશે તો તેનું નામ શ્રીલંકા દ્વારા આપવામાં આવી શકે છે. અરબ સાગરમાં વાવાઝોડું બનવાના પરિબળો સક્રિય થયા છે. આ સાયક્લોન જો બનશે તો તે વર્ષ 2023ના બિપરજોય વાવાઝોડાના ટ્રેક પર ચાલે તેવી શક્યતા છે. આવા સંજોગોમાં તે સૌરાષ્ટ્ર, કચ્છ કે પાકિસ્તાનના દરિયાકાંઠે પહોંચી શકે છે. નિષ્ણાંતોનું માનવું છે કે, આ વાવાઝોડું અન્ય સાયક્લોનની સરખામણીએ વધુ શક્તિશાળી બનવાની શક્યતા ધરાવે છે.

આ પણ વાચો : આજે 7 જિલ્લાઓ સાવધાન, ભારે ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ શું કહી રહ્યું છે?

આ વર્ષે ચોમાસું નિર્ઘારિત સમય કરતા વહેલું બેસે તેવી શક્યતા છે, કારણ કે, દર વર્ષ ચોમાસું 1 જૂનની આસાપાસ કેરળ પહોંચતું હોય છે પરંતુ આ વર્ષે 27 અથવા 28 મેના રોજ ચોમાસું કેરળ પહોંચે તેવી સંભવના છે. તો બીજી તરફ ચોમાસુ બેસે તેના પહેલા જ વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા યુકત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે, તો 2 દિવસ બાદ સાર્વત્રિક વરસાદની શક્યતાઓ પણ રહેલી છે.

Ambalal cyclone forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
વાવાઝોડાની કેટલી તારીખ સુધી અસર જોવા મળશે?

31 મે સુધી ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment