મૃગશીર્ષ નક્ષત્ર 2025 : મૃગશીર્ષ નક્ષત્ર ક્યારે બેસે? કયું વાહન છે? કેટલો વરસાદ પડશે?

WhatsApp Group Join Now

મૃગશીર્ષ નક્ષત્ર 2025 – mrigashira nakshatra

સૂર્યનો મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ તારીખ 08/06/2025ને રવિવારના રોજ થશે. સમય સવારના 6 વાગીને 22 મિનિટે બેસશે. મૃગશીર્ષ નક્ષત્રનું વાહન ઉંદરનું છે.

લોકવાયકા:

‘’મગશરા વાયા તો આદ્રા મે આયા

વર્ષે આદ્રા તો બારેમાસ પાધરા”

મૃગશીર્ષ નક્ષત્રમાં ખૂબ પવન ફૂંકાય તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ આવે જ છૂટકો

મૃગશીર્ષ નક્ષત્ર વિશે એવું કહેવાયમાં આવે છે કે, મગશરા વાય તો આદ્રામેં આયા, એટલે કે મગસરા નક્ષત્રમાં વરસાદ પડે, ગરમી બફારો થાય, તો તે પછીના આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ વરસે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મૃગશીર્ષ નક્ષત્રમાં વાવણી લાયક વરસાદની શકયતા જોવા મળતી હોય છે.

આ પણ વાચો : 13 થી 22 જૂનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

મૃગશીર્ષ નક્ષત્રના યોગ

મૃગશીર્ષ નક્ષત્રમાં કેવા યોગ જોવા મળે તો કેવુ ચોમાસુ રહે એ અંગેની વાત કરીએ તો, રોહિણી નક્ષત્ર બાદ મૃગશીર્ષ નક્ષત્ર આવે છે. મૃગશીર્ષ નક્ષત્રમાં પવનનું પ્રમાણ ઓછું હોય અને જો રોહિણી નક્ષત્રમાં ગરમીનું પ્રમાણ ઓછું જોવા મળે તો, ચોમાસું નબળું જાય એવુ સાબિત થાય. ટૂંકમાં મૃગશીર્ષ નક્ષત્રના દિવસો દરમિયાન પવન હોવો એ આવનારા ચોમાસાની પ્રગતિ માટે ખાસ જરૂરી છે.

મૃગશીર્ષ નક્ષત્રમાં જેટલું પવનનું જોર વધુ હોય એ સારા સંકેતો ગણી શકાય. જો કે ઘણી વખત ગુજરાતમાં મૃગશીર્ષ નક્ષત્રના દિવસોમાં પણ વરસાદ જોવા મળતો હોય છે એવા ભૂતકાળમાં ઘણા દાખલા આપણે જોયા છે.

આ પણ વાચો : આગામી 3 દિવસ 7 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદના કેવા દિવસો રહે?

પહેલા 2 દિવસ: મૃગશીર્ષ નક્ષત્રના પહેલા 2 દિવસમાં જો પવનની ગતિ વધુ પડતી ન જોવા મળે તો, તે વર્ષે ચોમાસામાં ઉંદરનો ઉપદ્રવ વધે છે અને ખેડુતોના પાકોમાં મોટી નુકસાની કરે છે. એટલા માટે શરૂઆતના ૨ દિવસોમાં પવન હોવો એ ખૂબ જ જરૂરી છે.

ત્રીજો અને ચોથો દિવસ: આ નક્ષત્રમાં ત્રીજા અને ચોથા દિવસે પવન ન જોવા મળે તો, ખેતીમાં જે ચોમાસું પાકોનું વાવેતર કર્યું હોય તેમાં ઈયળનો ઉપદ્રવ વધુ પડતો જોવા મળે.

પાચમો અને છઠ્ઠો દિવસ: જો પાચમાં અને છઠ્ઠા દિવસે પવન ન હોય તો, ચોમાસાના અંતિમ દિવસો અને શિયાળાની શરૂઆતમાં તીડનો ઉપદ્રવ વઘતો હોય છે.

7 અને 8માં દિવસે: આ નક્ષત્રના સમયગાળા દરમ્યાન સાતમાં અને આઠમાં દિવસે પવન ન હોય તો, મનુષ્યમાં રોગોનું પ્રમાણ વધુ રહે. ભાદરવા મહિનામાં તાવ તેમજ રોગચાળાનો ઉપદ્રવ જોવા મળે.

9 અને 10માં દિવસે: નવમાં અને દસમાં દિવસે જો પવન ન હોય તો, તે ખૂબ જ ખરાબ બાબત ગણાય કેમ કે તે વર્ષે વરસાદની ખૂબ જ અછત ઊભી થાય અને ચોમાસું નબળું પુરવાર થતુ હોય છે.

11 અને 12માં દિવસે: મૃગશીર્ષ નક્ષત્રમાં 11માં અને 12માં દિવસે પવન ન હોય તો, ચોમાસું પાકોમાં ઝેરી જીવાતનો એટલે કે ચુસીયા જીવાતનો ઉપદ્રવ વધુ પડતો જોવા મળતો હોય છે.

13માં અને 14માં દિવસે: જો મૃગશીર્ષ નક્ષત્રના 13માં અને 14માં દિવસે પવન ન હોય તો, ચોમાસામાં આંધી વંટોળ તેમજ વાવાઝોડા પણ જોવા મળતા હોય છે.

મૂર્ગશીર્ષ નક્ષત્ર 2025

અગત્યની લિંક – મૃગશીર્ષ નક્ષત્ર 2025

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment