અંબાલાલ પટેલ : રાજ્યમાં ઉનાળાનો હીટવેવનો પહેલો રાઉન્ડ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ઉત્તરપૂર્વ-પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. આગામી 24 કલાક તાપમાન યથાવત્ જોવા મળશે અને તે બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે. જેના કારણે બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હવામાન અંગેની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ફુંકાઈ રહ્યા છે. આ ભેજવાળા પવનોને કારણે દરિયા કાંઠાના વિસ્તારોમાં ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધારે જોવા મળી શકે. પવનની સ્પીડ પણ વધશે પરંતુ તેનાથી ગરમીમાં કોઈ ઘટાડો થશે નહીં.
આ પણ વાચો : અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉનાળો શરૂ, આ જિલ્લાઓમાં નોંધાશે રેકોર્ડ બ્રેક તાપમાન
આ સાથે તેમણે જણાવ્યુ કે, 13 તારીખ સુધી તાપમાન ઊંચુ રહી શકે છે. મોટાભાગના વિસ્તારોમાં 36થી લઈને 38 ડિગ્રીની તાપમાન જોવા મળશે. આ સાથે કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 કે તેનાથી વધુ જવાની શક્યતા છે. 13 તારીખ સુધી યલો એલર્ટ જેવી સ્થિતિ જોવા મળશે છે. 14 તારીખ બાદ હવામાનમાં આંશિક રાહત થઈ શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં 13થી 14માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે વાદળછાયું તો ક્યાંક વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ગુજરાતમાં 13થી 14 માર્ચમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. કોઈ વિસ્તારોમાં વાદળો ઘેરાઈ શકે છે.
આ પણ વાચો : પરેશ ગોસ્વામીની નવી આગાહી : ભર ઉનાળે ગુજરાતમાં આવશે વરસાદ, આ તારીખથી પલટાશે વાતાવરણ
19થી 20 માર્ચ સુધીમાં ક્યાંક વાદળો આવવાની સાથે વરસાદી છાંટા પડવાની પણ શક્યતા છે. આમ છતાં હોળીના દિવસે પવનની ગતિ વધુ જોવા મળશે. 40થી 43 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જેના કારણે મહત્તમ તાપમાન ઘટશે અને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી શકે છે.
જૂનાગઢના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં, ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં વાદળો છવાઈ શકે છે. કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતાઓ પણ રહેલી છે. આ વખતે હોળી આસપાસથી હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે. કાળઝાળ ગરમી બાદ આંશિક રાહત મળે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલ

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ફુંકાઈ રહ્યા છે. આ ભેજવાળા પવનોને કારણે દરિયા કાંઠાના વિસ્તારોમાં ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધારે જોવા મળી શકે. પવનની સ્પીડ પણ વધશે પરંતુ તેનાથી ગરમીમાં કોઈ ઘટાડો થશે નહીં.