આશ્લેષા નક્ષત્ર: કેટલો વરસાદ? ક્યું વાહન છે? જાણો લોકવાયકા અને વરસાદના યોગ

આશ્લેષા નક્ષત્ર: કેટલો વરસાદ? ક્યું વાહન છે? જાણો લોકવાયકા અને વરસાદના યોગ

આશ્લેષા નક્ષત્ર

સૂર્યનારાયણનો આશ્લેષા નક્ષત્રમાં શુભ પ્રવેશ 03/08/2023 ના રોજ થશે. આશ્લેષણ નક્ષત્ર માં સૂર્યનું ભ્રમણ 16/08/2023 સુધી ચાલશે. સૂર્યનારાયણ આશ્લેષણ નક્ષત્રમાં ગુરૂવારને બપોરે 3 વાગ્યે 53 મીનીટે પ્રવેશ કરશે. આશ્લેષા નક્ષત્રનું વાહન ભેંસનું છે.

આશ્લેષા નક્ષત્રમાં બોલાતી લોકવાયકા

“આશ્લેષા ચગી તો ચગી અને ફગી તો ફગી”

આ લોકવાયકા મુજબ આશ્લેષા નક્ષત્રમાં સારો વરસાદ વરસે તો વરસાદ વરસી જતો હોય છે અને જો આશ્લેષા નક્ષત્રમાં વરસાદ ન પડે તો પડતો જ ન હોય. જો સારો વરસાદ પડે તો ઘણા વિસ્તારોમાં એકદમ સારો વરસાદ થાય.

આશ્લેષા નક્ષત્રમાં વરસાદ યોગ

સૂર્યનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ 3 તારીખે થશે. વાર ગુરૂવાર છે અને બપોરે 3:53 મીનીટે બેસશે. આશ્લેષા નક્ષત્રનું વાહન ભેંસનું હોવાથી આ નક્ષત્રમાં વરસાદના ભરપૂર માત્રામાં યોગો જોવા મળી રહ્યા છે. આશ્લેષા નક્ષત્ર દરમિયાન સર્વત્ર પાણી પાણી થશે. બધા વિસ્તારોમાં વરસાદનો મોટો રાઉન્ડ જોવા મળશે. આ નક્ષત્ર દરમિયાન થતા વરસાદથી કોઈ કોઈ વિસ્તારમાં મોટી નુકસાની નો ભાઈ પણ ઉભો થતો હોય છે. એવા લોકોનું નિર્માણ આ નક્ષત્રમાં જોવા મળતું હોય છે.
જો આશ્લેષા નક્ષત્રમાં વરસાદ થાય તો લાંબો સમય સુધી વરસાદ રહેશે છે. આશ્લેષા નક્ષત્રનું પાણી જોરાવાર હોય છે. એ લગભગ રવિ પાકો સુધી રહેતો હોય છે. આશ્લેષા પાણી સારું ગણાય છે.

આશ્લેષા નક્ષત્ર: અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઓગસ્ટના પહેલા સપ્તાહમાં પણ વરસાદ થશે. 25 જુલાઈથી 8 જુલાઈ સુધી વરસાદ થવાની શક્યતા છે. આશ્લેષા નક્ષત્રમાં પણ વરસાદ થશે. આશ્લેષા નક્ષત્રમાં વરસાદ થાય તો ઓગસ્ટમાં પણ વરસાદ લંબાવી શકે છે. ​

(આશ્લેષા નક્ષત્ર,નક્ષત્ર,આશ્લેષા નક્ષત્ર 2022,વરસાદના નક્ષત્ર,મઘા નક્ષત્ર,આશ્લેષા,વરસાદના નક્ષત્ર 2022,વરસાદના નક્ષત્ર 2023,આશ્લેષા નક્ષત્રમાં વરસાદ,આશ્લેષા નક્ષત્રમાં આગાહી,આદ્રા નક્ષત્ર,નક્ષત્ર 2022,વરસાદ નક્ષત્ર,આદ્રા નક્ષત્ર વરસાદ,વરસાદ નક્ષત્ર 2023,ચોમાસાના નક્ષત્ર ની યાદી,ચોમાસુ નક્ષત્ર 2023,વરસાદના નક્ષત્ર ની યાદી 2023,વરસાદ નક્ષત્રો 2022,વરસાદના નક્ષત્ર અને તેના વાહન ની યાદી,આદ્રા નક્ષત્રમાં વરસાદ,ચૈત્રી દનૈયા)

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.