ટીટોડીનાં ઇંડા પરથી ચોમાસાનો વર્તારો, કયારે વાવણી થશે? ચોમાસું કેવું રહેશે?

ટીટોડીના ઇંડા : આપણા પૂર્વજો કોઠાસુઝ આધારે વરસાદની આગાહી કરતા હતા. ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરવામાં આવતી હતી. જેમાંની કેટલીક પ્રથા આજે પણ હજી જીવંત છે. વરસાદના આ પરંપરાગત વિજ્ઞાનને વડવાઓએ હજી જાળવી રાખ્યું છે.

Paresh Goswami

જેમાં ટીટોડીનાં ઇંડા પરથી આપના પૂર્વજો ચોમાસાનો વર્તારો વર્ષોથી કરતા આવે છે. જેમાં ટીટોડી ક્યાં ઈંડા મુકે છે? તેના પરથી ચોમાસું કહેવું રહેશે. તેનું અનુમાન લગાવવામાં આવ્યું હોય છે.

આ પણ વાચો : ગુજરાતમાં ચક્રવાત સાથે વરસાદની આગાહી, 12 થી 17 એપ્રિલ ભારે વરસાદ, અંબાલાલ પટેલે કરી આગાહી

ટીટોડી પક્ષી ક્યાં જોવા મળે છે?

ટીટોડી રાજસ્થાનના જળાશયો અને ગુજરાત પાસે ફરતું પક્ષી છે. આ પક્ષી મોટાભાગે જમીન પર જ ફરતું હોય છે. મોટાભાગના લોકો ટીટોડીના ઈંડા પરથી વરસાદનો વરતારો કરતા હોય છે.

આ પણ વાચો : આ 8 જિલ્લા સાવધાન : સતત ચાર દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી

ટીટોડીનાં ઇંડા પરથી 2024નાં ચોમાસાનો વર્તારો

ટીટોડીના ઇંડા : ગુજરાતમાં ટીટોડીએ આવનારા ચોમાસા અંગે સંકેત આપ્યાં છે. ટીટોડીએ મહીસાગરના લુણાવાડા તાલુકાના દલુખડ્યા ગામમાં ઈંડા મુક્યાની માહિતી મળી છે. ટીટોડીએ ઊંધા ઈંડા મુક્યા છે. જેથી આવનારા ચોમાસા માટે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ વર્ષે ચોમાસામાં વરસાદનું પ્રમાણે વધારે જોવા મળશે.

આ પણ વાચો : એક પછી એક તીવ્ર માવઠાની પરેશ ગોસ્વામીની આગાહી

ટીટોડી 4 ઇંડા મૂક્યા : કેટલો વરસાદ થશે?

આમતો સામાન્ય રીતે ટીટોડી 3 ઈંડા મુકતી હોય છે. પરંતુ મહીસાગરમાં ટીટોડીએ 4 ઈંડા મુક્યાં છે. જૂની માન્યતા મુજબ ટીટોડીએ 4 ઈંડા મુકતા 4 મહિના સારા વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વરસાદના પરંપરાગત માન્યતા અનુસાર ટીંટોડીએ 4 ઈંડા મુક્યા હોવાથી આ વખતે ચોમાસામાં 4 મહિના સારો વરસાદ પડશે તેવું માનવામાં આવી રહ્યું છે.

ટીટોડીના ઇંડા

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ટીટોડી પક્ષી ક્યાં જોવા મળે છે?

ટીટોડી રાજસ્થાનના જળાશયો અને ગુજરાત પાસે ફરતું પક્ષી છે. આ પક્ષી મોટાભાગે જમીન પર જ ફરતું હોય છે. મોટાભાગના લોકો ટીટોડીના ઈંડા પરથી વરસાદનો વરતારો કરતા હોય છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment