અંબાલાલ પટેલ દ્વારા ટીટોડીના ઈંડા પરથી ચોમાસાનો વરતારો, 4 મહિના ટનાટન ચોમાસુ

WhatsApp Group Join Now

Ambalal Patel Monsoon Prediction : આવનારું ચોમાસુ કેવું રહેશે તેનું અનુમાન આપણા પૂર્વજો અલગ અલગ રીતે લગાવતા આવ્યા છે. નક્ષત્ર, પવનની દિશા, વાતાવરણમાં થતા ફેરફાર, પક્ષીઓની ચેષ્ટા પરથી ચોમાસાનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. ખાસ કરીને સૌથી વધુ જાણીતી લોક વાયકા એટલે કે ટીટોડીની ઈંડા ક્યાં મૂક્યા છે? તેના પરથી ચોમાસું કેવું રહી શકે? તેનું અનુમાન લગાવતા હોય છે. ત્યારે લુણાવાડા તાલુકાના દલુખડયા ગામમાં ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા છે. ટીટોડીના ઈંડા મૂક્યા બાદ હવામાનની નિષ્ણાંત અંબાલાલ પટેલે આવનારા ચોમાસા અંગે આગાહી કરી છે.

Paresh Goswami

અંબાલાલ પટેલ નો ટીટોડીની ઈંડા પરથી વરતારો

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ટીટોડીએ ક્યાં ઈંડા મૂક્યા તેના પરથી આપણે તારણ લગાવતા હોઈએ છીએ. ટીટોડી અષાઢ મહિના મહિના મૂકે તો તેનો અલગ મહત્વ છે. જો ટીટોડી ચાર ઈંડા મૂકે તો તેના પરથી એવું નક્કી થાય કે વરસાદ ચાર મહિના સારો થશે. જો એક ઈંડુ મૂકે તો અષાઢમાં વરસાદ થાય. બેંડા મૂકે તો શ્રાવણ માસમાં વરસાદ થાય. ત્રણ ઈંડા મૂકે તો ભાદરવા મહિનામાં વરસાદ થાય અને જો ચાર ઈંડા મૂકે તો ચારેય મહિના વરસાદ આવે તેવી માન્યતા છે.

આ પણ વાચો : 13, 14 અને 15 તારીખમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં પડશે વરસાદ

વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, ટીટોડી અષાઢ મહિનામાં ઈંડા મૂકે તેમજ ચાર ઈંડા મૂકે તો વરસાદ સારો થતો હોય છે. ઈંડાની અણીઓ નીચે રહે તો સારો વરસાદ થાય. ટીટોડી ઉંચા સ્થાન પર ઈંડા મૂકે તો ચોમાસું ભરપૂર રહેતું હોય છે. ઈંડા નીચે મૂકે તો ચોમાસું નબળું રહે છે. જો ટીટોડી સૂકા તળાવ વચ્ચે ઈંડા મૂકે તો ચોમાસું નબળું રહે છે.

આ પણ વાચો : ટીટોડીનાં ઇંડા પરથી ચોમાસાનો વર્તારો, કયારે વાવણી થશે? ચોમાસું કેવું રહેશે?

Ambalal Patel Monsoon Prediction : આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું કે, પક્ષીઓને દુકાળ પડવાનો હોય તે ખબર પડી જતી હોય છે. ટીટોડી ઈંડા ઓછા મૂકે છે કારણ કે, તે સંવેદનશીલ પક્ષી છે. તેને ખ્યાલ આવી જતો હોય છે. પક્ષીઓની ચેષ્ટા અવાજ માળા બાંધવાની ક્રિયા પણ ખૂબ જ મહત્વની રહેતી હોય છે.

આ પણ વાચો : વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, જાણો કયા કયા ભારે વરસાદની આગાહી

જો ચકલીઓ પણ ઘરમાં માળો બનાવે તો વરસાદ સારો થતો હોય છે. ચકલી ધૂળમાં નહાય તો પણ સારો વરસાદ થાય એવું માનવામાં આવે છે. ચોમાસામાં મોર બોલે તો વરસાદ પણ સારો થતો હોય છે. એટલે પક્ષીઓની ચેષ્ટા પર તેમના અવાજ પરથી ચોમાસું કેવું રહે તેનું પણ તારણ કાઢી શકાય છે.

ટીટોડીના ઈંડા

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ટીટોડીની ઈંડા પરથી વરતારો

ટીટોડી ચાર ઈંડા મૂકે તો તેના પરથી એવું નક્કી થાય કે વરસાદ ચાર મહિના સારો થશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment