monsoon 2024 in Gujarat : કાળઝાળ ગરમી વચ્ચે ચોમસું ક્યારે બેસશે અને આવનારુ કેવું રહેશે? તેના અનુમાનની રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગ, ખાનગી એજન્સી, હવામાન નિષ્ણાતો દ્વારા ચોમાસાને લઈ અનુમાન જાહેર કરાયા છે. જેમા હવામાન વિભાગનું અનુમાન છે કે, દેશનાં ચોમાસા દરમિયાન 106 ટકા વરસાદ થશે અથવા 5 ટકા ઓછો વધુ વરસાદ થઇ શકે છે. જ્યારે હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે ચાલુ વર્ષે લાનીનોની અસરના કારણે ચોમાસું સારું રહેશે. જોકે, ચોમસાનું આગમન ક્યારે થશે, તેના અનુમાનને લઈ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.
![Paresh Goswami](https://khedutsamachar.in/wp-content/uploads/2024/03/20240321_171505-1024x200.jpg)
અંબાલાલ ૫ટેલનું પુર્વાનુમાન
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, એપ્રિલના અંતમાં કાળઝાળ ગરમી પડશે અને મે મહિનામાં આંધી વંટોળ સાથે પ્રી-મોનસુન એક્ટિવિટી થશે. જો કે બંગાળના ઉપસાગરમાં 10થી 14 તારીખ વચ્ચે ચક્રવાત સર્જવાની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : 24 કલાક ગુજરાતના 7 જિલ્લામાં વરસાદની આગાહી
ચોમાસુ કયારે બેસવાનું છે?
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષનું ચોમાસું લાનીનોની અસરના કારણે સારું રહેશે. ચોમાસું સારું રહેવા પાછળ અનેક પરિબળો કામ કરતા હોય છે, પરંતુ તેમાનું એક પરિબળ છે લાનીનો. ચોમાસું અંદમાન નિકોબારમાં બેસી ગયા બાદ આગળ વધતું હોય છે અને દેશમાં કેરળથી ચોમાસાની શરુઆત થતી હોય છે. ત્યારે અંદમાન નિકોબારમાં 17થી 24 મે વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે. ત્યાર બાદ કેરળમાં ચોમાસું 1 જૂન પહેલા બેસવાનું અનુમાન છે.
આ પણ વાચો : વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની ભયંકર આગાહી ! આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે
ચોમાસું સમય કરતાં વહેલું બેસીજશે!
monsoon 2024 in Gujarat : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે. કેરળમાં બેસી ગયા બાદ મુંબઈ અને ત્યાર બાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગમાંથી ચોમાસાનું આગમન થતું હોય છે. ત્યારે ગુજરાતમાં 8થી 14 જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે. સામાન્ય રીત ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસાનો વરસાદ થતો હોય છે.
આ પણ વાચો : મે મહિનામાં વાવાઝોડું આવશે? જાણો અંબાલાલ પટેલની નવી નકોર આગાહી
17 જૂન બાદગાજવીજ સાથે વરસાદ
17 જૂન બાદ ભારે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે 5 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી દેશના ઘણા ભાગોમાં પુર જેવી સ્થિતિ રહેશે. આ અરસામાં નર્મદા નદીનું જળ સ્થર વધશે. સાબરમતી નદીનું જળસ્તર અને બંધોમાં પાણની આવક વધશે.
![monsoon in Gujarat](https://khedutsamachar.in/wp-content/uploads/2024/04/20240430_191130_compress54-1024x576.jpg)
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
એપ્રિલના અંતમાં કાળઝાળ ગરમી પડશે અને મે મહિનામાં આંધી વંટોળ સાથે પ્રી-મોનસુન એક્ટિવિટી થશે. જો કે બંગાળના ઉપસાગરમાં 10થી 14 તારીખ વચ્ચે ચક્રવાત સર્જવાની શક્યતા રહેલી છે.