ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે કે થશે હજુ મેઘમહેર ?

WhatsApp Group Join Now
ચોમાસુ 2023

Gujarat Monsoon : ચાલુ વર્ષે ચોમાસાની શરુઆતમાં ગુજરાતભરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જોકે બાદમાં અચાનક મેઘરાજાએ વિરામ લીધો હતો. ભાદરવા માસની શરુઆત સાથે રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદી રાઉન્ડ શરુ થયા હતા. ત્યારે રાજ્ય હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે કે થશે હજુ મેઘમહેરની શક્યતા છે, જુઓ આ અહેવાલમાં…

ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે કે થશે હજુ મેઘમહેર ?

ગુજરાતમાં ચોમાસુ સક્રિય થતાની સાથે જ સમગ્ર રાજ્યમાં ધમધોકાર વરસાદ ખાબક્યો હતો. શરૂઆતના તબક્કામાં વરસાદી માહોલ જામતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ચોમાસાના પ્રારંભે રાજ્યમાં મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાતા સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારબાદ વરસાદે લાંબો વિરામ લેતા ગુજરાતમાં વાતાવરણ શુષ્ક બની ગયું હતું. જ્યારે છેલ્લા એકાદ-બે દિવસથી વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના કેટલાક ભાગોમાં સારો વરસાદ નોંધાયો છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી.

હવામાન વિભાગની આગાહી

ચોમાસાના અંતિમ તબક્કામાં સરેરાશ આંકડો 100% પાર કરી ગયો છે. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે પાણીની આવક વધતા નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે. કેટલાક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સાથે રાજ્યના તમામ ડેમો ઓવરફ્લોની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. જોકે હવે ચોમાસુ પૂર્ણતાના આરે છે. ત્યારે હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને લીધે હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે કોઈ આગાહી કરવામાં આવી નથી. પરંતુ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ હોવાથી છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આવનારા સમયમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થશે કે પછી ચોમાસુ ગુજરાતમાંથી વિદાય લેશે.

આ પણ વાચો: ગુજરાતમાં આજે આ પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ફૂંકાશે સુસવાટા સાથે પવન

વરસાદી સિસ્ટમની સ્થિતિ

આ સાથે જ આગામી સમયમાં વરસાદની સ્થિતિને લઈને અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, આવનારા દિવસોમાં રાજ્યના કચ્છ અને દ્વારકા જિલ્લામાં સામાન્ય વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ થવાનું અનુમાન પણ કરવામાં આવ્યું છે. ડો. મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યુ છે કે, હાલ ભારે વરસાદ આવી શકે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. અત્યારે કચ્છ પર સર્ક્યુલેશન છે. તેની અસરના કારણે ઉત્તર ગુજરાતના કાંઠા વિસ્તારમાં વધુ વરસાદ રહેશે.

માછીમારોને ચેતવણી

આગામી 24 કલાક માટે ગુજરાતના દરિયાકિનારા માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદમાં વરસાદની સંભાવના વિશે જણાવતાં મનોરમા મોહંતીએ કહ્યું કે, અમદાવાદમાં એકાદ હળવા વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. અમુક જગ્યાએ જ વરસાદ જોવા મળી શકે છે. ગુજરાતમાં જેટલો વરસાદ પડવો જોઈએ તેનાથી પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment